Fact Check : ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે અમિતાભ બચ્ચનની મુલાકાતનો દાવો ફેક, એડિટેડ વીડિયો થયો વાયરલ
- By Vishvas News
- Updated: February 8, 2023

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ સમયે ખૂબ જ ચર્ચામાં છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરતા દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં અમિતાભ બચ્ચનને કેટલાક લોકોની સાથે બેઠેલા જોઈ શકાય છે. વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન બાગેશ્વર ધામ પહોંચ્યા હતા.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી તો દાવો ફેક સાબિત થયો. અમિતાભ બચ્ચન ક્યારેય બાગેશ્વર ધામ નથી ગયા. અમિતાભ બચ્ચનનો વાયરલ વીડિયો તેમની ફિલ્મ ગુડબાય મૂવીના શૂટિંગ દરમિયાનનો છે. વાયરલ વીડિયોમાં અમિતાભ બચ્ચનના નામ અને વીડિયોનો ઉપયોગ કરીને જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર Chandra Infoએ 25 જાન્યુઆરીએ એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો, ‘અમિતાભ બચ્ચન પહોંચ્યા બાગેશ્વર ધામ.’
વાયરલ દાવાને સાચો માનીને અન્ય યુઝર્સ પણ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને વાયરલ કરી રહ્યા છે. તેનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
તપાસ
અમિતાભ બચ્ચનના બાગેશ્વર ધામ જવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોની તપાસની શરૂઆત વિશ્વાસ ન્યૂઝે ગૂગલ ઓપન સર્ચ ટૂલથી કરી. સૌથી પહેલા વાયરલ વીડિયોના આધારે કીવર્ડ ટાઈપ કરીને સર્ચ કરવામાં આવ્યું હતું. અમને એક પણ એવા સમાચાર મળ્યા નથી, જે આ વાતની પુષ્ટિ કરી શકે કે અમિતાભ બચ્ચન બાગેશ્વર ધામ ગયા હતા. જો અમિતાભ બચ્ચન ત્યાં ગયા હોત તો આ સમાચાર ચોક્કસપણે મીડિયાની હેડલાઇન્સ બન્યા હોત.
અહિંયાથી અમે અમારી તપાસને આગળ વધારી અને વીડિયોના સ્ક્રીનશોટને ગૂગલ ઇમેજ પર સર્ચ કર્યો. અમને આ વીડિયો પરમાર્થ નિકેતન નામના યુટ્યુબ ચેનલ પર અપલોડ મળ્યો. 31 માર્ચ 2022ના રોજ અપલોડ કરાયેલા વીડિયોમાં જણાવ્યું, “વીડિયો ગુડબાય ફિલ્મના શૂટિંગ દરમિયાનનો છે. જ્યારે અમિતાભ બચ્ચન અને ફિલ્મના બાકીના કલાકારોએ ઋષિકેશમાં ગંગા આરતી કરી હતી.”
ઘણા ન્યૂઝ રિપોર્ટસમાં વાયરલ વીડિયો સાથે જોડાયેલા સમાચાર વાંચી શકાય છે. વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા ‘નઈ દુનિયા’ના છતરપુરના બ્યુરો ચીફ અબ્બાસ અહેમદનો સંપર્ક કર્યો. તેમનું કહેવું છે કે, “આ ફેક ફોટો છે. અમિતાભ બચ્ચન બાગેશ્વર ધામમાં નથી આવ્યા. ફોટામાં અમિતાભ બચ્ચન જે રીતે પગથિયાં પર બેઠા છે, બાગેશ્વર ધામમાં આવી કોઈ વ્યવસ્થા નથી. ન તો આ રીતનું કોઈ સ્ટેડિયમ ભક્તો માટે હાલમાં બનાવવામાં આવ્યું છે.”
આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આવો દાવો વાયરલ કરવામાં આવ્યો હતો, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી. તમે અમારી તપાસને અહીં વાંચી શકો છો.
અંતમાં અમે ખોટીપોસ્ટ કરનાર યુઝરની તપાસ કરી. જાણવા મળ્યું કે ફેસબુક યુઝરનું એકાઉન્ટ સપ્ટેમ્બર 2017માં બનાવવામાં આવ્યું હતું.
નિષ્કર્ષ: અમિતાભ બચ્ચન બાગેશ્વર ધામ ગયા હતા આ વાયરલ દાવો વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ખોટો સાબિત થયો. વાયરલ વીડિયો ઋષિકેશમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુડબાયના શૂટિંગ દરમિયાનનો છે. અમિતાભ બચ્ચનના વીડિયોનો ઉપયોગ કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : અમિતાભ બચ્ચન બાગેશ્વર ધામ પહોંચ્યા.
- Claimed By : ફેસબુક યુઝર - Chandra Info
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com