ફેક્ટ ચેકઃ પીએમ મોદી અને તેમની માતા સાથે પત્ની જશોદા બેનનો એડિટેડ ફોટો થયો વાયરલ
- By Vishvas News
- Updated: December 11, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 5 ડિસેમ્બરે પૂરી થઈ હતી. ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાને પણ મળ્યા હતા. હાલમાં પીએમ નરેન્દ્ર મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીએમ મોદી તેમની માતા અને પત્ની જશોદા બેન સાથે સોફા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે પીએમ મોદી ગુજરાત ચૂંટણી દરમિયાન જશોદાબેનને પણ મળ્યા હતા.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે પીએમ મોદી અને તેમની માતાનો આ ફોટો એડિટ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન જશોદા બેન સાથે મુલાકાત કરી ન હતી. વાયરલ ફોટો એડિટ કરવામાં આવેલો છે.
શું છે વાયરલ પોસ્ટમાં ?
5 ડિસેમ્બરે ફોટો શેર કરતા ફેસબુક યુઝર Rinku Thakur-g (આર્કાઇવ્ડ લિંક) એ લખ્યું,
ભારત જોડો યાત્રા સફળ રહી.
ગુજરાતની ચૂંટણીમાં લાંબા સમયથી વિખૂટા પડેલા સમન આજે મળ્યા.
“જશોદા બેન સાથે નરેન્દ્ર મોદી”
તપાસ
વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે વિશ્વાસ ન્યુઝે સૌ પ્રથમ ગૂગલ રિવર્સ ઈમેજથી સર્ચ કર્યું. આ અંગેના સમાચાર ઈન્ડિયા ટીવી ન્યૂઝમાં 4 ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ થયા છે. આમાં વાયરલ તસવીર સાથે જોડાયેલ ફોટો જોઈ શકાય છે. સમાચાર અનુસાર PM મોદીએ રવિવારે તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને તેમની માતા હીરાબેન મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. બે તબક્કાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે જ્યારે મતગણતરી 8મી ડિસેમ્બરે થશે. હિમાચલ પ્રદેશની મતગણતરી એ જ દિવસે થશે.

PM મોદી અને તેમની માતા હીરાબેનની 4 ડિસેમ્બરે થયેલી મુલાકાતનો વીડિયો ANIના ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. લખવામાં આવ્યું છે કે પીએમ મોદી ગાંધીનગરમાં તેમની માતાના ઘરે તેમને મળ્યા હતા. આમાં અમને ક્યાંય ફ્રેમમાં જશોદાબેન દેખાયા નથી.
અમને 4 ડિસેમ્બરે NDTVના ટ્વિટર હેન્ડલ પર વાયરલ તસવીર પણ મળી. તે મુજબ પીએમ મોદીએ ગાંધીનગર ખાતે તેમના માતાના નિવાસસ્થાને હીરાબેનના આશીર્વાદ લીધા હતા. તે તસવીરમાં પણ જશોદાબેન નથી. મતલબ કે વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે.

ત્યારબાદ અમે ગૂગલ લેન્સની મદદથી જશોદાબેનની તસવીર પણ સર્ચ કરી. 23 ડિસેમ્બર 2017 ના રોજ Patrika.com માં પ્રકાશિત સમાચારમાં જશોદા બેનની આવી જ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાચારમાં લખ્યું છે કે જશોદાબેન અજમેરમાં તેમના એક પરિચિતને મળવા આવ્યા હતા.

વધુ તપાસ માટે અમે આ અંગે ગુજરાતી દૈનિક જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપુરિયાનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે, “PM મોદી ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન ગાંધીનગરમાં તેમની માતાને મળ્યા હતા. તે સમયે જશોદાબેન ત્યાં હાજર ન હતા. વાયરલ ફોટો એડિટ કરીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો છે.
તપાના અંતે અમે ફેક ફોટો શેર કરનાર ફેસબુક યુઝરની તપાસ કરી જેમાં જાણવા મળ્યું કે તે રેણુકૂટનો રહેવાસી છે.
નિષ્કર્ષ: પીએમ મોદી ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન ગાંધીનગરમાં તેમની માતા હીરાબેનને મળ્યા હતા. તે સમયે તેમના પત્ની જશોદાબેન ત્યાં હાજર ન હતા. એડિટ કરાયેલ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : તસવીરમાં પીએમ મોદી, તેમની માતા અને જશોદાબેન નજરે પડે છે.
- Claimed By : Fb User- Rinku Thakur-g
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com