Fact Check: અજીત અંજુમના નામે ફેક ટ્વિટનો સ્ક્રીનશોટ ફરીથી થયો વાયરલ
- By Vishvas News
- Updated: April 12, 2023

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): પત્રકાર અજીત અંજુમના નામે એક ટ્વિટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ આ સ્ક્રીનશોટને શેર કરી અજીત અંજુમ પર નિશાન સાધી રહ્યા છે. આ સ્ક્રીનશોટમાં અજીત અંજુમનો ફોટો લાગેલો છે અને તેમનું નામ પણ લખ્યું છે. આમાં લખ્યું છે કે “જો 2022ની ચૂંટણીમાં યોગી આદિત્યનાથ ફરીથી જીતી જશે તો તેઓ પત્રકારત્વ છોડીને દિલ્હીના બિલ્લિમરાનમાં ચિકન-પકોડાની દુકાન ખોલી લેશે.
વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું કે અજીત અંજુમના નામથી વાયરલ ટ્વિટ ફેક છે. તેમણે આ પ્રકારનું કોઈ ટ્વિટ નથી કર્યું. આ સ્ક્રીનશૉટ પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે, જેને અજીત અંજુમ પોતે ફેક ગણાવી ચૂક્યા છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ટ્વિટર યુઝર વિવેક પાંડેએ 20 માર્ચ (આર્કાઇવ લિંક)ના રોજ આ સ્ક્રીનશોટ ટ્વિટ કરતા લખ્યું છે, “ક્યાં છો @ajitanjum કેમ જ્ઞાન આપી રહ્યા છો”
સ્ક્રીનશોટ પર 31 જાન્યુઆરી 2022ની તારીખ આપવામાં આવી છે અને તેમાં લખ્યું છે, “જો 2022ની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં યોગી ફરીથી જીતી ગયા તો હું પત્રકારત્વ છોડીને દિલ્હીના બિલ્લિમરાનમાં ચિકન પકોડાની દુકાન ખોલી લઈશ.”
ફેસબુક યુઝર ‘ચૌધરી સુદેશ સિંહ’એ પણ 25 માર્ચે આ સ્ક્રીનશોટ (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું છે, “શોધીને લાવો ભાઈ આ સજ્જનને”
તપાસ
વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા અજીત અંજુમના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટને સર્ચ કર્યું. 6 એપ્રિલ (આર્કાઇવ લિંક)ના રોજ ટ્વિટર હેન્ડલ પરથી આ વિશે ટ્વિટ કરવામાં આવ્યું છે. તેમાં અનેક ટ્વિટર એકાઉન્ટ્સના સ્ક્રીનશોટ પોસ્ટ કરતા લખવામાં આવ્યું છે, “ભાજપ આઈટી સેલના સભ્યો એક નકલી ટ્વિટના સહારે તેમની વિરુદ્ધ દુષ્પ્રચાર કરતા રહે છે. દેશના જુદા-જુદા ભાગોમાંથી દરરોજ તેમની ટાઈમલાઈન પર ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે છે.”
અજીત અંજુમની યુટ્યુબ ચેનલ પર પણ 6 એપ્રિલના રોજ આ સંદર્ભમાં એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. તેમાં પણ આ ટ્વીટને ફેક કહેવામાં આવ્યું છે.
ટ્વિટર એડવાન્સ્ડ સર્ચમાં અમને અજીત અંજુમ દ્વારા 5 ફેબ્રુઆરી 2022 (આર્કાઇવ લિંક)ના રોજ કરવામાં આવેલ ટ્વિટ મળ્યું. આમાં પણ તેમણે વાયરલ સ્ક્રીનશોટને નકલી ગણાવ્યો હતો. સાથે જ કેટલાક અન્ય ટ્વિટ્સમાં તેમના નામથી બનાવવામાં આવેલા ફેક એકાઉન્ટ્સની ફરિયાદ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી માટે અમે અજીત અંજુમ સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું, “આ ફેક છે. મેં આ વિશે પહેલા પણ કહ્યું છે કે આ ફેક ટ્વિટ છે.”
આ પહેલા પણ વિશ્વાસ ન્યૂઝ આ દાવાની તપાસ કરી ચૂક્યું છે. સંપૂર્ણ રિર્પોટને અહીં વાંચી શકાય છે.
ફેર સ્ક્રીનશૉટ શેર કરનાર ફેસબુક યુઝર ચૌધરી સુદેશ સિંહની પ્રોફાઇલને અમે સ્કેન કરી, તે મુજબ, તે મથુરામાં રહે છે અને એક વિચારધારાથી પ્રેરિત છે.
નિષ્કર્ષ: અજીત અંજુમના નામે વાયરલ થઈ રહેલો સ્ક્રીનશોટ ફેક છે. તેમણે આ પ્રકારનું કોઈ ટ્વિટ નથી કર્યું. આ સ્ક્રીનશોટ પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે. તે સમયે પણ તેમણે તેને નકલી ગણાવ્યો હતો.
- Claim Review : જો યોગી આદિત્યનાથ 2022ની ચૂંટણીમાં ફરી જીતશે તો હું પત્રકારત્વ છોડી દઈશ અને દિલ્હીના બલ્લીમારનમાં ચિકન-પકોડાની દુકાન ખોલીશ - અજિત અંજુમ
- Claimed By : FB User- ચૌધરી સુદેશ સિંહ
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com