Fact Check: યુપી વિધાનસભાની ચૂંટણીમાં વાયરલ થઈ અમિત શાહની ફેક ટ્વિટ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં અમિત શાહના નામે વાયરલ ટ્વિટ ફેક નીકળી. તેમણે વિધાનસભા ચૂંટણીને લઈને સપા ગઠબંધનના સમર્થન અંગે કોઈ ટ્વિટ કરી નથી. શાહની ઓરિજીનલ ટ્વિટ સાથે છેડછાડ કરીને ફેક ટ્વિટ બનાવવામાં આવી હતી.
- By Vishvas News
- Updated: February 20, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). યુપી સહિત દેશના પાંચ રાજ્યોમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણીનો ઉત્સાહ વધી રહ્યો છે, તેમ તેમ સોશિયલ મીડિયાના વિભિન્ન પ્લેટફોર્મ પર ફેક સમાચારો પણ વધી રહ્યા છે. હવે કેન્દ્રિય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહની એક ફેક ટ્વિટ વાયરલ થઈ રહી છે. તેમાં અમિત શાહની તસવીરનો ઉપયોગ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે અમિત શાહે સપા ગઠબંધનને સમર્થન આપવાની વાત કહી છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ ટ્વિટની વિસ્તારપૂર્વક તપાસ કરી. તે ફેક નીકળી. અમિત શાહ તરફથી એવી કોઈ ટ્વિટ કરવામાં આવી નથી.
શું થઈ રહ્યું છે વાયરલ
જાલંધર યાદવે 10 ફેબ્રુઆરીએ અમિત શાહની ફેક ટ્વિટ પોતાના એકાઉન્ટ પર અપલોડ કરીને દાવો કરેલો : ‘અમિત શાહે પણ કર્યું સપા ગઠબંધનનું સમર્થન.’
ફેક ટ્વિટમાં અમિત શાહની તસવીરનો ઉપયોગ કરીને લખવામાં આવ્યું હતું : “અમે સમગ્ર પશ્ચિમી UP માં ફર્યા ત્યારે અમને ભૂલનો અહેસાસ થયો, અમે UP હારી રહ્યાં છીએ, રાજપૂત હોવા છતાં યોગીજીને વર્ષ મળ્યા હતા, બ્રાહ્મણો અને જાટોને નારાજ કરવા સિવાય એમણે કોઈ કામ કર્યું નથી, તમામ કાર્યકરો ગઠબંધનને વોટ આપે, જયંત ચૌધરીજી સારા માણસ છે.’
ફેસબુક પોસ્ટના કન્ટેન્ટને જેવું છે તેવું જ લખવામાં આવ્યું છે. તેના આર્કઇવ્ડ વર્ઝનને અહીં જોઈ શકાય છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પણ કોઈ અન્ય યુઝર્સે પણ આ પોલ ને સમાન દવા સાથે શેર કરેલ છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નામથી વાયરલ ફેક ટ્વિટની સચ્ચાઈ જાણવા માટે સૌથી પહેલાં તેના સોશિયલ મીડિયા હેન્ડલને સ્કેન કરવાનું શરૂ કર્યું. તેના માટે અમે InVID માં મૌજૂદ ટ્વિટર સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર અમને 5 ફેબ્રુઆરીએ 11:13 AM વાગે અંગ્રેજીમાં એક ટ્વિટ મળી. તેમાં તેમણે ભાજપના દિગ્ગજ નેતા C Janga Reddy ના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી. જે અહીં જોઈ શકાય છે.
તપાસ દરમિયાન વિશ્વાસ ન્યૂઝે અમિત શાહની 5 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી અસલી ટ્વિટ અને એ જ તારીખ તથા સમય સાથે વાયરલ થઈ રહેલ ટ્વિટનો તુલનાત્મક અભ્યાસ કર્યો. અમને ખબર પડી કે અમિત શાહની ઓરિજીનલ ટ્વિટ સાથે છેડછાડ કરીને વાયરલ ટ્વિટ તૈયાર કરવામાં આવી હતી. બંને ટ્વિટ આપ નીચે જોઈ શકો છો.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતાં ભારતીય જનતા પાર્ટીના યુપી પ્રદેશના પ્રવક્તા અવનીશ ત્યાગીનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને વોટ્સએપ પર શેર કરી. તેમણે કહ્યું કે આ ફેક છે. આવી કોઈ ટ્વિટ અમિત શાહ તરફથી કરવામાં આવી નથી.
તપાસના અંતે વિશ્વાસ ન્યૂઝે ફેક પોસ્ટ કરનાર ફેસબુક યુઝર Jalandhar Yadav નું સોશિયલ સ્કેનિંગ કર્યું. જાણવા મળેલ કે યુઝરના લગભગ પાંચ હજાર દોસ્ત છે. એક રાજકીય પક્ષ સાથે જોડાયેલ આ યુઝરની વોલ પર અમે વાયરલ કન્ટેન્ટ ઘણી જોઈ. યુઝર યુપીના કાનપુરનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં અમિત શાહના નામે વાયરલ ટ્વિટ ફેક નીકળી. તેમણે વિધાનસભા ચૂંટણીને લઈને સપા ગઠબંધનના સમર્થન અંગે કોઈ ટ્વિટ કરી નથી. શાહની ઓરિજીનલ ટ્વિટ સાથે છેડછાડ કરીને ફેક ટ્વિટ બનાવવામાં આવી હતી.
- Claim Review : અમિત શાહની ટ્વિટ
- Claimed By : ફેસબુક યુઝર
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com