Fact Check: છત્તીસગઢના માં ચંડી દેવી મંદિરમાં સેંકડો વર્ષોથી ચઢાવવામાં આવી રહી છે ચાદર, ખોટો છે વાયરલ પોસ્ટનો દાવો
- By Vishvas News
- Updated: February 13, 2023

નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર): વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની હકીકત તપાસી. આ દાવો પાયાવિહોણો અને સાંપ્રદાયિક વાતાવરણને બગાડનાર સાબિત થયો. તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં વપરાયેલ તસવીર ગુંદરદેહીના ચંડી મંદિરની છે. પરંતુ દાવામાં કોઈ સત્ય નથી. આ મંદિરમાં સેંકડો વર્ષોથી ચાદર ચઢાવવામાં આવે છે.
સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ રહી છે. આમાં એક મંદિરની અંદર 786 લખેલા લીલા રંગના કપડાને જોઈ શકાય છે. આ તસવીરને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે છત્તીસગઢના માં ચંડી દેવી મંદિર પર વક્ફ બોર્ડે પોતાનો દાવો કર્યો છે. વિશ્વાસ ન્યૂઝની વાયરલ પોસ્ટની તપાસમાં આ દાવો પાયાવિહોણો અને સાંપ્રદાયિક વાતાવરણને બગાડનાર સાબિત થયો. તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલી તસવીર ગુંદરદેહીના ચંડી મંદિરની જ છે. પરંતુ દાવામાં કોઈ સત્ય નથી. આ મંદિરમાં સેંકડો વર્ષોથી ચાદર ચઢાવવામાં આવે છે.
શું વાયરલ થઈ રહ્યું છે?
ફેસબુક પેજ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’એ 7 ફેબ્રુઆરીએ એક તસવીરને શેર કરીને દાવો કર્યો કે, “મા ચંડી દેવી મંદિર, ગુંદરદેહી છત્તીસગઢ. વક્ફ બોર્ડે દાવો કર્યો કે આ તેમની મિલકત છે.”
પોસ્ટના દાવાને સાચો માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે તપાસની શરૂઆત ગૂગલ ઓપન સર્ચ ટૂલથી કરી. વાયરલ પોસ્ટના આધારે કીવર્ડ ટાઈપ કરીને સર્ચ કરવામાં આવ્યું. અમને નઈદુનિયાની વેબસાઇટ પર 7 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રકાશિત એક સમાચાર મળ્યા. તેમાં કહેવામાં આવ્યું હતું કે, “છત્તીસગઢના બાલોદ જિલ્લાના ગુંદરદેહી શહેરના હાથરી બજારમાં આવેલું ચંડી મંદિર, જે ભાઈચારા અને સાંપ્રદાયિક એકતાનું પ્રતિક છે. જ્યાં હિન્દુ અને મુસ્લિમ એકસાથે પૂજા કરે છે. અહીં હિન્દુ મુસ્લિમ અને કોમી એકતાનું ઉદાહરણ જોવા મળે છે. લગભગ 100 વર્ષોથી ચંડી મંદિરમાં મજારથી પહેલા ચાદર ચઢાવવામાં આવે છે. સાંપ્રદાયિક સૌહાર્દ અને સદ્ભાવનાનો માહોલ રહે છે. વર્ષોથી મુસ્લિમ સમાજના લોકો ચંડી મંદિરની સેવા કરે છે. અહીંના લોકો દરેક તહેવારને ખૂબ જ ઉત્સાહથી મનાવે છે. આ મંદિરથી થોડે દૂર મજાર આવેલી છે. જ્યાં બંને સમુદાયના લોકો સાથે મળીને પૂજા કરે છે.” સંપૂર્ણ સમાચાર અહીં વાંચો .

તપાસ દરમિયાન અમને અન્ય વેબસાઈટ પર પણ મંદિર સંબંધિત સમાચાર મળ્યા. amarujala.com પર પ્રકાશિત સમાચારમાં કહેવામાં આવ્યું છે કે છત્તીસગઢમાં મા ચંડીના મંદિરમાં ઈસ્લામિક ઝંડો લાગેલો છે. અહીં હિન્દુ અને મુસ્લિમ એકસાથે પૂજા કરે છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો. તેવી જ રીતે ભાસ્કર.કોમ પર પ્રકાશિત સમાચારમાં લખ્યું હતું કે ચંડી મંદિરમાં હિન્દુ અને મુસ્લિમો એકસાથે પૂજા કરે છે. હિન્દુ-મુસ્લિમ અને સાંપ્રદાયિક એકતાનું ઉદાહરણ લગભગ 100 વર્ષથી અહીં જોવા મળી રહ્યું છે. મંદિરથી થોડે દૂર મજાર આવલી છે. જેના માટે મંદિરમાંથી સૌથી પહેલી ચાદર મોકલવામાં આવે છે.
તપાસ આગળ વધારતા વિશ્વાસ ન્યુઝે નઈદુનિયા, બાલોદ ખાતે કાર્યરત રવિ ભૂતડાનો સંપર્ક કર્યો. માહિતી આપતા તેમણે કહ્યું કે વક્ફ બોર્ડ દ્વારા મંદિર પર કોઈ દાવો કરવામાં આવ્યો નથી. આ માત્ર અફવા છે.
તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે ગુંદરદેહી વિધાનસભા સીટના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર રાયનો સંપર્ક કર્યો. આ મંદિરની સ્થાપના તેમના પૂર્વજોએ જ કરી હતી. તેમણે કહ્યું કે વાયરલ પોસ્ટમાં કોઈ સત્ય નથી. આ મંદિર હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. મંદિરમાં 786 નંબરની ચાદર ચઢાવવામાં આવે છે. આ સૈયદ બાબા સાહેબની પવિત્ર ચાદર છે.
તપાસના છેલ્લા તબક્કામાં ભ્રામક અને સાંપ્રદાયિક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક પેજ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ને 1.27 લાખ લોકો ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે છત્તીસગઢના ગુંદરદેહી ખાતે આવેલા મા ચંડી દેવી મંદિરની તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. મંદિરમાં સેંકડો વર્ષોથી નજીકના મજારથી ચાદર ચઢાવવામાં આવે છે.
- Claim Review : ફેસબુક પેજ એક ભારત શ્રેષ્ઠ ભારત
- Claimed By : ફેસબુક પેજ એક ભારત શ્રેષ્ઠ ભારત
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com