Fact Check: 28 દિવસનુ ફ્રી રિચાર્જ આપવાનો દાવો કરતી વાયરલ પોસ્ટ ફેક છે
- By Vishvas News
- Updated: April 11, 2023

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ફ્રી રિચાર્જના નામે એક લિંક શેર કરવામાં આવી રહી છે. પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે આપેલ લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ કરી શકાય છે.
વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ફેક છે. ફ્રી રિચાર્જ આપવાનો દાવો કરતી વાયરલ પોસ્ટ ફિશિંગ લિંક છે. તેના પર ક્લિક કરવાથી યુઝરનો ડેટા હેક થઈ શકે છે. આ લિંક પર ક્લિક કરશો નહીં.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર ‘Yashir Khan‘એ 26 માર્ચે આ પોસ્ટ શેર કરતા લખ્યું છે, “મેં 28 દિવસનું રિચાર્જ ફ્રીમાં આ વેબસાઈટ પરથી કરી લીધું તમે પણ કરી લો થોડા સમય માટે જ આ ઓફર છે.”
સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ તેને સમાન દાવાની સાથે શેર કરી રહ્યાં છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.
તપાસ
દાવાની તપાસ માટે અમે વાયરલ પોસ્ટમાં આપેલી લિંકને ચેક કરી. લિંક પર ક્લિક કરવાથી એક બ્લોગસ્પોટની લિંક ખુલે છે. જેમાં તમને ફ્રી રિચાર્જ મેળવવા માટે તમારો ફોન નંબર દાખલ કરવાનું કહેવામાં આવશે અને તે પછી રિચાર્જ ઓફર મેળવવા માટે તેને આગળ WhatsApp ગ્રુપ અથવા 10 લોકોની સાથે શેર કરવાનું કહેવામાં આવશે. અમે અમારા વાચકોને કહેવા માંગીએ છીએ કે આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.


વધુ માહિતી માટે અમે ભારતીય સાયબર આર્મીના અધ્યક્ષ અને ભારતીય પોલીસના સાયબર ક્રાઈમ સલાહકાર કિસલય ચૌધરી સાથે સંપર્ક કર્યો અને તેમની સાથે વાયરલ લિંકને શેર કરી. તેમણે કહ્યું, વાયરલ દાવો નકલી છે. આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.
પીએમ મોદી, રતન ટાટા, આઈપીએલ અને વેક્સિનેસનને લગતા ફ્રી રિચાર્જના ઘણા દાવાઓ સોશિયલ મીડિયા પર પહેલા પણ વાયરલ થઈ ચૂક્યા છે. જેની તપાસ સમયાંતરે વિશ્વાસ ન્યૂઝ દ્વારા કરવામાં આવી છે. આ પ્રકારની લિંક છેતરવા માટે અને તમારી અંગત માહિતીને એકત્રિત કરવા માટે બનાવવામાં આવે છે. અમે અમારા વાચકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રકારની કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં
તપાસના અંતમાં અમે આ પોસ્ટ શેર કરનાર યુઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે યુઝરના ફેસબુક પર 423 ફોલોઅર્સ છે. યુઝરના 4000થી વધુ ફ્રેન્ડસ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ફેક નિકળ્યો. વાયરલ પોસ્ટમાં આપવામાં આવેલી લિંક ફિશિંગ લિંક છે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે આવી કોઈ પણ લિંક પર ક્લિક કરશો નહીં.
- Claim Review : લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ કરી શકાય છે.
- Claimed By : Yashir Khan
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com