Fact Check: અન્ના હજારેના 6 વર્ષ જૂના વીડિયોને ખોટા દાવા સાથે કરવામાં આવી રહ્યો છે વાયરલ
- By Vishvas News
- Updated: April 17, 2023

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડ્રિંગ કેસને લઈને આમ આદમી પાર્ટી આ દિવસોમાં ચર્ચામાં છે. તેની સાથે જોડીને અન્ના હજારેનો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આ મારું દુર્ભાગ્ય છે કે અરવિંદ ઘણા વર્ષો સુધી મારી સાથે રહ્યા અને પછી તેમણે એક પાર્ટી બનાવી, જેમાં ભ્રષ્ટ લોકો જોડાયા અને આજે તેમના 6માંથી 3 મંત્રી ભ્રષ્ટાચારના કારણે જેલમાં છે. યુઝર્સ આ વીડિયોને એવી રીતે શેર કરી રહ્યા છે, જેના પરથી એવું લાગે છે કે અન્ના હજારેએ તાજેતરમાં આમ આદમી પાર્ટીને લઈને આ નિવેદન આપ્યું છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ દાવો ભ્રામક છે. અન્ના હજારેનો આ વાયરલ વીડિયો તાજેતરનો નથી, પરંતુ લગભગ 6 વર્ષ જૂનો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ટ્વિટર યુઝર પ્રતીક ખરેએ 4 એપ્રિલ 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “આ મારું દુર્ભાગ્ય છે કે અરવિંદ ઘણા વર્ષો સુધી મારી સાથે રહ્યા અને પછી તેમણે એક પાર્ટી બનાવી જેમાં ભ્રષ્ટ લોકો જોડાયા અને આજે તેમના 6માંથી 3 મંત્રી ભ્રષ્ટાચારના કારણે જેલમાં છે- અન્ના હજારે”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને અસલી વીડિયો વાયરલ બોલિવૂડ નામની એક યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલ મળ્યો. વીડિયોને 24 સપ્ટેમ્બર 2016ના રોજ શેર કરવામાં આવ્યો છે. અસલી વીડિયોમાં 8 સેકન્ડ પછી વાયરલ વીડિયોવાળા ભાગને સાંભળી શકાય છે.
સર્ચ દરમિયાન અમને આ વાયરલ વીડિયો મૂવી ટોકીઝ નામની એક યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરેલો મળ્યો. વીડિયોને 24 સપ્ટેમ્બર 2016ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા રિપોર્ટર અન્ના હજારને પૂછે છે કે અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટી બનાવી લીધી અને મુખ્યમંત્રી બન્યા. વર્તમાનમાં જે પરિસ્થિતિ છે દિલ્હીમાં આ સ્થિતિને જોઈને તમે શું કહેવા માગો છો? અત્યારે તેમના મંત્રીઓ અલગ-અલગ રીતે ઘેરાયેલા છે તેને જોઈને તમે શું કહેવા માગો છો. જેના જવાબમાં અન્ના હજારેએ વાયરલ નિવેદન આપ્યું છે.
વધુ જાણકારી માટે અમે અન્ના હજારેના પ્રવક્તા અલ્લાઉદ્દીન શેખ સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે વાયરલ વીડિયો ઘણો જૂનો છે. સોશિયલ મીડિયા પર લોકો ભ્રામક દાવાની સાથે વીડિયોને શેર કરી રહ્યા છે.
તપાસના અંતે અમે વાયરલ વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યુઝરનું સોશિયલ સ્કેનિંગ કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારાથી પ્રભાવિત છે. યુઝરને ટ્વિટર પર 2,466 લોકો ફોલો કરે છે. પ્રોફાઇલ પર હાજર માહિતી અનુસાર, યુઝર દિલ્હીનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે અન્ના હજારેના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. અન્ના હજારેનો આ વાયરલ વીડિયો તાજેતરનો નથી, પરંતુ લગભગ 6 વર્ષ જૂનો છે.
- Claim Review : અણ્ણા હજારે અન્ના હજારે એ કેજરીવાલ પર પ્રહારો કર્યો.
- Claimed By : ટ્વિટર યૂઝર ખરે
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com