Fact Check: રામ નવમી પર શ્રીનગરમાં કાઢવામાં આવેલી શોભા યાત્રાના વીડિયોને પાકિસ્તાનનો ગણાવીને ફેલાવવામાં આવી રહ્યો છે ભ્રમ
- By Vishvas News
- Updated: April 17, 2023

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર શોભાયાત્રાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો રામ નવમીના અવસર પર પાકિસ્તાનમાં કાઢવામાં આવેલી ભગવાન રામની ઝાંખીનો છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. વાયરલ વીડિયોને પાકિસ્તાન સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો રામનવમીના અવસર પર શ્રીનગરમાં કાઢવામાં આવેલી એક શોભાયાત્રાનો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર અખલાખ અહેમદે 5 માર્ચ 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કર્યો છે. યુઝરે વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “પાકિસ્તાનમાં રામ નવમી સુરક્ષિત છે અને ભારતમાં સુરક્ષિત નથી, તેનો અર્થ શું, ??? ફક્ત હિન્દુ બહુમતીવાળા દેશ ભારતમાં જ હિન્દુ જોખમમાં છે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ કરી શકાય છે.
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે વીડિયોને ધ્યાનથી જોયો. અમને જાણવા મળ્યું કે વીડિયો પર VOAનો લોગો લાગેલ છે. અમે તેના વિશે શોધવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને આ વીડિયો VOA ઉર્દૂના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 30 માર્ચ 2023ના રોજ શેર થયેલો મળ્યો. કેપ્શનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વાયરલ વીડિયો શ્રીનગરમાં કાશ્મીરી પંડિતો દ્વારા કાઢવામાં આવેલી એક શોભાયાત્રાનો છે.
પ્રાપ્ત માહિતીના આધારે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને દાવા સાથે જોડાયેલ એક રિપોર્ટ અમર ઉજાલાની વેબસાઈટ પર મળ્યો. રિર્પોટને 30 માર્ચ 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિર્પોટ અનુસાર, “જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં રામ નવમીના અવસર પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન રસ્તાઓ શ્રીરામના જયકારોથી ગુંજી ઉઠ્યા હતા. વિવિધ સ્થળોએ પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. યાત્રાને આયોજિત કરવામાં મુસ્લિમ સમાજે પણ સહકાર આપ્યો હતો.”
અન્ય ન્યૂઝ રિપોર્ટ્સને અહીં વાંચી શકાય છે.
તપાસ દરમિયાન અમને આ શોભાયાત્રા સાથે જોડાયેલ ઘણા અન્ય વીડિયો ANI સહિત અન્ય ઘણી YouTube ચેનલો પર મળ્યા.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ, કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર નવીન નવાઝ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું, “વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. આ વીડિયો શ્રીનગરમાં કાઢવામાં આવેલી શોભાયાત્રાનો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રામનવમીના અવસર પર શોભાયાત્રાને કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા કાશ્મીરી પંડિતોએ કાઢી હતી.”
તપાસના અંતે અમે નકલી દાવો શેર કરનાર યુઝર અખલાખ અહેમદની તપાસ કરી. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યુઝર બિહારનો રહેવાસી છે. યુઝરના ફેસબુક પર લગભગ 8,000 ફોલોઅર્સ અને 4,986 ફ્રેન્ડ્સ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે શોભાયાત્રાના વીડિયોને લઈને કરવામાં આવી રહેલો વાયરલ દાવો ખોટો છે. વાયરલ વીડિયોને પાકિસ્તાન સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો રામનવમીના અવસરે શ્રીનગરમાં કાઢવામાં આવેલી એક શોભાયાત્રાનો છે.
- Claim Review : રામ નવમી પર પાકિસ્તાનમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી
- Claimed By : ફેસબુક યૂઝર અખલાખ અહમદ
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com