ફેક્ટ ચેકઃ સાવરકર પરની ડોક્યુમેન્ટરીનો વીડિયો આંદામાન જેલ તરીકે શેર કરવામાં આવી રહ્યો છે
- By Vishvas News
- Updated: December 3, 2022

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે આંદામાન જેલમાં તેમની સજા ભોગવી રહ્યા હતા તે સમયનો આ તેમનો વીડિયો છે. પોસ્ટના કેપ્શન મુજબ આ દેશભક્ત વીર સાવરકરનો એક દુર્લભ વીડિયો છે જે એક બ્રિટિશ પત્રકાર દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ વિનાયક દામોદર સાવરકર છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની હકીકત તપાસી અને જાણવા મળ્યું કે તે વાસ્તવમાં ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરીનો એક ભાગ છે. જેને લોકો સાચું માનીને શેર કરી રહ્યા છે.
શું છે વાયરલ પોસ્ટમાં ?
વાયરલ વીડિયો શેર કરતા ફેસબુક યુઝર જડીબુટી સ્વદેશી ચિકિત્સાએ કેપ્શનમાં લખ્યું, એક બ્રિટિશ પત્રકાર આંદામાન જેલમાં ગયો અને વીર સાવરકરની વીડિયો ફૂટેજ લીધી. તે દુર્લભ ફૂટેજ બીબીસી દ્વારા તેની ચેનલ પર પણ બતાવવામાં આવી. જુઓ આ દુર્લભ ફોટો જેમાં વીર સાવરકર એક નાનકડા ઘરમાં કેદ છે.
સોશિયલ મીડિયા પર અન્ય કેટલાક યુઝર્સ સમાન દાવા સાથે તસવીર શેર કરી રહ્યાં છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકો છો.

તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા વીડિયો ધ્યાનથી જોયો. તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે વાયરલ વીડિયોની નીચે ફિલ્મ્સ ડિવિઝનનો લોગો છપાયેલો છે. ફિલ્મ્સ વિભાગ કેન્દ્રીય માહિતી મંત્રાલય હેઠળ આવે છે અને સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી અને શોર્ટ ફિલ્મોનું નિર્માણ કરે છે.
ત્યારબાદ અમે ફિલ્મ્સ ડિવિઝનની વેબસાઈટની તપસા કરતા અમને જાણવા મળ્યું કે ભારત સરકારે પ્રેમ વૈદ્ય સાથે મળીને 1983માં સાવરકરના જીવન પર આધારિત ત્રણ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.
વીડિયો વિશે વધુ જાણવા માટે વિશ્વાસ ન્યૂઝે સંબંધિત કીવર્ડ્સ સાથે યુટ્યુબ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને માહિતી મંત્રાલયની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો આખો વીડિયો મળ્યો. આ વીડિયો 14 ઓગસ્ટ 2014ના રોજ શેર કરવામાં આવ્યો હતો. આપેલી માહિતી મુજબ આ વીડિયો વિનાયક દામોદર સાવરકર પર આધારિત ડોક્યુમેન્ટ્રી છે. આ ડોક્યુમેન્ટ્રીમાં તેમના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ દર્શાવવામાં આવી છે. વાયરલ વીડિયોનો ભાગ 25 મિનિટ 8 સેકન્ડથી 29 મિનિટ 42 સેકન્ડ સુધી જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે આ વીડિયો વિશે વીર સાવરકર પર પુસ્તક લખનાર લેખક અક્ષય જોગ સાથે વાત કરી. તેમણે અમને કહ્યું, ભારત સરકારે સાવરકર પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. આ વીડિયો તેનો એક નાનકડો ભાગ છે. વિનાયક દામોદર સાવરકર કોણ હતા ? વિનાયક દામોદર સાવરકર એક મહાન સ્વાતંત્ર્ય સેનાની, પ્રતિબદ્ધ સમાજ સુધારક, લેખક, બળવાન વક્તા અને દેશભક્ત હતા.
વિશ્વાસ ન્યૂઝે તપાસના અંતે વીડિયો શેર કરનાર ફેસબુક યુઝર જડીબુટી સ્વદેશી ચિકિત્સાની તપાસ કરી. આ તપાસમાં જાણવા મળ્યું કે યુઝર ઉત્તર પ્રદેશનો છે જેને 600 થી વધુ લોકો ફોલો કરે છે. યૂઝર જૂન 2019થી ફેસબુક પર એક્ટિવ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે જેલમાં સજા ભોગવી રહેલા વિનાયક દામોદર સાવરકરના દાવા સાથે શેર કરવામાં આવેલ વીડિયોની હકીકત તપાસી અને જાણવા મળ્યું કે આ વીડિયો વાસ્તવમાં એક ડોક્યુમેન્ટરીનો ભાગ છે. જેને લોકો સાચું માનીને શેર કરી રહ્યા છે.
- Claim Review : જેલમાં કેદ સાવરકરનો વીડિયો.
- Claimed By : જડ્ડી બૂટ્ટી સ્વદેશી ચિકિત્સા
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com