Fact Check: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના બાગેશ્વર ધામ પહોંચવાનો ખોટો દાવો વાયરલ
- By Vishvas News
- Updated: March 23, 2023

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. વીડિયોને સાચો માનીને અનેક યુઝર્સ તેને સમાન દાવા સાથે શેર કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ દાવો નકલી અને વીડિયો એડિટેડ છે. વિરાટ અને અનુષ્કાના જે વીડિયોને બાગેશ્વર ધામનો જણાવવામાં આવી રહ્યો છે, વાસ્તવમાં વાયરલ વીડિયો માર્ચ 2023નો છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેમની પત્ની અનુષ્કા શર્માની સાથે ઉજ્જૈન સ્થિત મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા. બંનેએ મહાકાલેશ્વર મંદિરમાં પૂજાની સાથે-સાથે ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. આ મંદિર દર્શનના વીડિયોને અલગ-અલગ ફોટા અને વીડિયોની સાથે એડિટ કરીને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યા છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર Mr varun thakurએ 16 માર્ચે એક વીડિયોને પોસ્ટ કરતા દાવો કર્યો, “વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા બાગેશ્વર ધામ પર.”
વાયરલ દાવાને સાચો માનીને અન્ય યુઝર્સ પણ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને વાયરલ કરી રહ્યા છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે .
તપાસ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના નામે વાયરલ થઈ રહેલા દાવાની તપાસ માટે અમે વીડિયોના સ્ક્રીનશોટને Google Images પર સર્ચ કર્યો. અમને વાયરલ વીડિયો સાથે સંબંધિત સમાચાર DainikJagran.com પર 4 માર્ચ 2023ના રોજ પર પ્રકાશિત થયેલા મળ્યા. સમાચારમાં વીડિયોના સ્ક્રીનશૉટનો ઉપયોગ કરીને જણાવવામાં આવ્યું, “ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચ હાર્યા પછી ભારત હવે અમદાવાદમાં જીતવા એડીચોટીનું જોર લાવી દેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સીધા પહોંચવાના માર્ગને તો ઝટકો લાગ્યો છે, પરંતુ ત્રીજી ટેસ્ટ મેચ જીતતાની સાથે જ ફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ જશે. આ વચ્ચે બીજી મેચ હાર્યા પછી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેમની પત્ની અનુષ્કા શર્માની સાથે ઉજ્જૈન સ્થિત મહાકાલના દર્શન કરવા પહોંચ્યા છે. બંનેએ મહાકાલેશ્વર મંદિરમાં પૂજાની સાથે ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો.”
સર્ચ દરમિયાન અમને NDTVની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર વાયરલ તસવીર સાથે જોડાયેલ એક વીડિયો રિપોર્ટ મળ્યો. 4 માર્ચ 2023ના રોજ અપલોડ કરાયેલા વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, “ઓસ્ટ્રેલિયાની સાથે ભારતની ચોથી ટેસ્ટ મેચની પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પ્રતિષ્ઠિત મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સેલિબ્રિટી કપલને અન્ય તીર્થયાત્રીયોની સાથે મંદિરની અંદર બેઠેલા જોઈ શકાય છે.” વીડિયોમાં અનુષ્કા અને વિરાટે તેવા જ કપડા પેહરેલા છે, જેવા કે વાયરલ વિડિયોમાં પેહરેલા જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયો સાથે જોડાયેલ અન્ય ન્યૂઝ રિર્પોટને અહીં વાંચી શકાય છે .
તપાસમાં આગળ અમે વાયરલ દાવા સાથે જોડાયેલ સમાચારોને સર્ચ કર્યા. અમને દાવા સાથે જોડાયેલ કોઈપણ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ નથી મળ્યા. વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા નઇદુનિયાના છતરપુરના બ્યુરો ચીફ અબ્બાસ અહેમદ સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયોની લિંકને શેર કરી. તેમનું કહેવું છે, ”આ દાવો ખોટો છે. વિરાટ અને અનુષ્કા અહીં નથી આવ્યા.”
પહેલા પણ અનેક પ્રખ્યાત હસ્તીઓની બાગેશ્વર ધામની મુલાકાતને લઈને આવા ખોટા દાવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી ચૂક્યા છે. જેની તપાસ વિશ્વાસ ન્યુઝ દ્વારા કરવામાં આવી હતી. તમે અમારી તે ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો.
તપાસના અંતમાં અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યૂઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે ફેસબુક પર યૂઝરને 25 હજાર લોકો ફોલો કરે છે. આ ફેસબુક પેજને 10 ઓક્ટોબર 2022ના રોજ બનાવવામાં આવ્યું હતું.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના બાગેશ્વર ધામ પહોંચવાનો દાવો નકલી અને વીડિયો એડિટેડ નિકળ્યો. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો ઉજ્જૈન સ્થિત મહાકાલના દર્શનના વીડિયોને હવે ખોટાની દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાગેશ્વર ધામ પહોંચ્યા.
- Claimed By : Mr varun thakur
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Email-Id contact@vishvasnews.com